જૂનાગઢમાં ૩ વેપારી સાથે છેતરપિંડી કરનાર આંગડિયા પેઢીના સંચાલક એક દિવસના રિમાન્ડ ઉપર

0

જૂનાગઢમાં ૩ વેપારી સાથેની છેતરપિંડીના ગુનામાં ફરાર આંગડિયા પેઢીના સંચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલ શ્રી ગણેશ આંગડિયા પેઢીના સંચાલક હરિસિંહ શંકર ચાવડા વિરૂદ્ધ રૂપિયા ૮.૩૨ લાખની છેતરપિંડીની ફરિયાદ નવેમ્બર માસમાં થઈ હતી. આ શખ્સને શહેરના ૩ વેપારીએ તેમની પાર્ટીને મોકલવા માટે રૂપિયા ૮.૩૨ લાખ આપ્યા હતા પરંતુ હરીસિંહ ચાવડાએ વેપારીઓની પાર્ટીને પેમેન્ટ પહોંચાડ્યું ન હતું. દરમ્યાન આ કિશન જુનાગઢ આવ્યો હોવાની માહિતી મળતા એ ડિવિઝનના પીઆઇ વત્સલ સાવજના માર્ગદર્શનમાં પીએસઆઇ સીદી સહિતના સ્ટાફે હરીસિંહ ચાવડાને દબોચી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આંગડિયા સંચાલકે મોટી રકમનું ફૂલેકું ફેરવ્યું હતું અને પરિવાર સાથે નાસી ગયો હતો. દરમ્યાન ગઈકાલે કોર્ટમાં હાજર થતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

error: Content is protected !!