જૂનાગઢ નજીક અજાણ્યા વાહને હડફેટમાં લેતા બાઇક ચાલક વૃદ્ધનું મૃત્યું

0

ભેસાણનાં વૃદ્ધને બાઈક સહિત અજાણ્યા વાહને હડફેટમાં લેતા મૃત્યું નીપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ભેસાણ ખાતે અક્ષરધામ સોસાયટીમાં રહેતા શંભુભાઈ ભેસાણીયા ગામના વૃદ્ધ શુક્રવારે ઘરે જમીને બપોરે પોતાની વાડીએ જીજે-૦૭-ઇસી-૫૫૪૯ નંબરની બાઈક ઉપર બેસીને જતા હતા ત્યારે ભેસાણ પાસે જૂનાગઢ રોડ ઉપર રામબાગ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલ બોલેરો કે છોટા હાથી જેવા વાહનના ચાલકે બાઈક સહિત શંભુભાઈને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જૂનાગઢ ખાતે શિવરાત્રીનો મેળો હોય જેથી વૃદ્ધના મૃતદેહનું ભેસાણ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. અકસ્માતો બહાર દો વાહન ચાલક નાસી ગયો હોવાની ફરિયાદ મૃતકના પુત્ર મનોજભાઈ ઉર્ફે સંજયભાઈ ભેસાણીયાની નોંધાવતા ભેસાણ પોલીસે પૂનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!