![](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/03/IMG-20240308-WA0678-scaled.jpg)
ગઈકાલે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ સિધ્ધેશ્વર મહાદેવને અભિષેક કરાયો હતો અને આ અલૌકિક અને દિવ્ય દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો.