લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સની ધરપકડ

0

લગ્નની લાલચ આપી સગીરા પર દોઢ વર્ષ દુષ્કર્મ આચરનાર દોલતપરાના શખ્સને પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં દોલતપરાની દાસારામ સોસાયટીમાં રહેતા યજ્ઞેશ શાંતિલાલ ભોગાયતાએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાના રહેણાંક મકાનમાં મળવા માટે બોલાવી તા. ૨૨ નવેમ્બર ૨૦૨૨ થી ૧૫ માર્ચ ૨૦૨૪ દરમિયાન સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરાએ પોતાની ઉંમર પુખ્ત વયની થતા યજ્ઞેશને લગ્ન માટેનું કહેતા તેણે બહાના બતાવી કિશોરીને છેતરી હતી. આખરે ભોગ બનનાર તરૂણીએ ગુરૂવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે યજ્ઞેશ ભોગાયતા સામે કલમ ૩૭૬ (૨) (એન), ૩૦૭૬ (૨) (જે), ૩૨૩, પોકસો એક્ટની કલમ ૫ (જે)(૨), ૫(એલ), ૬, ૮, ૧૨ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પીઆઇ વી. જે. સાવજે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને શુક્રવારે દબોચી લઇ તેનું મેડિકલ સહિતની કાર્યવાહી કરી હતી. પોલીસ પૂછપરછમાં દુષ્કર્મ આચરનાર યજ્ઞેશ ભોગાયતા પરિણીત હોવાનું અને સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું હતું.

error: Content is protected !!