ભવનાથમાં ચાલતી રાઈડ તાત્કાલીક બંધ કરાવી

0

રાજકોટની આગની દુર્ઘટના બાદ તકેદારીના પગલારૂપે જૂનાગઢ શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી જયાં મનોરંજનના સાધનો હોય ત્યાં પણ ચેકિંગ હાથ ધરી તાત્કાલીક અસરથી આવા ઝોન બંધ કરાવવામાં આવેલ છે. ભવનાથ ક્ષેત્રમાં જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામે આવેલ મેદાનમાં રમત-ગમતના સાધનો સાથે ચાલતી રાઈડના સ્થળે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલીક અસરથી રાઈડ બંધ કરી દેવામાં આવી હતી તેમ તંત્ર દ્વારા જાણવા મળે છે.

error: Content is protected !!