દ્વારકાના ગઢેચી ગામે ફસાયેલા ૧૫ ગ્રામજનોને એનડીઆરએફની દ્વારા રેસ્ક્યુ કરાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામેથી મંગળવારે બપોરે ૧૫ વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ વિભાગને આ બાબતે મળેલા સંદેશાને ધ્યાને લઈ, એન.ડી.આર.એફ.ના જવાનોની એક ટુકડીને બોટ સાથે ગઢેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા ૬ પુરુષો, ૫ મહિલાઓ અને ૫ બાળકોને એન.ડી.આર.એફ.ના જવાનો દ્વારા તમામને લાઈફ સેવિંગ જેકેટ પહેરાવી, બોટમાં બેસાડીને સુરક્ષિત રીતે આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!