જેસીઆઈ જૂનાગઢ દ્વારા મકરસંક્રાંતિ પર્વેએ જરૂરીયાતમંદોને વસ્તુઓનું વિતરણ

0

જૂનાગઢ, તા.૧૭
જેસીઆઈ જૂનાગઢ દ્વારા તા.૧૪ જાન્યુઆરી મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ, દોરી, ચીકી, લાડુ, ટોસપટ્ટી, નાન ખટાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વનમેન આર્મી કે.બી.સંઘવી, જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ વિરલ કટેચા, સેક્રેટરી જયદીપ ધોળકિયા, કિશોરભાઈ ચોટલીયા, પૂર્વ સેક્રેટરી પરેશ મારૂ અને સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેન્ટર અરવિંદભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ મેમ્બર ચેતન સાવલિયા, પાર્થ પરમાર, કેતન ચોલેરાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!