જૂનાગઢ જીલ્લાનાં લોકો માટે અગત્યની સૂચના

0

ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન રાજયભરમાં અને જૂનાગઢ શહેર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરીયાણું ચાલુ જ રહેશે. કોઈ નાગરીક ભાઈ-બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવે નહી કે ખોટી દહેશતમાં રહે નહી તેવી અપીલ કરવામાં આવી છે.
કોરોના હેલ્પલાઈન
જૂનાગઢ જીલ્લામાં કોરોના હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે જેનાં નંબર છે – ૦ર૮પ-ર૬૩૩૧૩૧ ઉપર કોરોના સંબંધિત તથા કોરોનાને લગતા પ્રશ્નો હોય અથવા તો તે અંગે માહિતી હોય તો આ નંબર ઉપર વોટસએપ કરવાનું પણ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!