પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા સોમનાથ મહાદેવને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરાઈ

0

દેશના બાર જયોર્તિલીંગ પૈકીના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો મહીમા અપરંપાર છે. સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરે છે અને ભકતજનોની મનોકામના ભગવાન સોમનાથ દાદા પૂર્ણ કરે છે. લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવની ઓનલાઈન પૂજાનો લાભ જૂનાગઢના સુપ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ લીધો છે અને ઘર બેઠા સોમનાથ મહાદેવની ઓનલાઇન પૂજા, ઇ-સંકલ્પ કરી ધન્ય બન્યા હતા. અને કોરાના મહામારીમાંથી વિશ્વ આખું જલદી બહાર આવે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!