જૂનાગઢ જીલ્લામાં ૪ અપમૃત્યુનાં બનાવ

0

મેંદરડા તાલુકાનાં રાજેશર ગામે રહેતાં હિતેષભાઈ વૃજલાલ ગોહેલએ કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં બિલખાનાં રામેશ્વર ખાતે રહેતાં સોનલબેન વિપુલભાઈ ચૌહાણ વાડીએ કામ કરતાં હતા અને તેના પતિ વિપુલભાઈ ખેતરમાં દવા છાંટતા હતા ત્યારે સોનલબેન વાડીની કુંડી પાસે એક ગ્લાસ પડેલ હોય જેમાં પાણી ભરેલ છે તેમ સમજી ભુલથી પી જતાં તેમનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત વિસાવદરનાં નવાણીયા ખાતે રહેતાં કાજલબેન ભીખાભાઈ સાવલીયાએ કોઈપણ અગમ્ય કારણોસર એસીડ પી જતાં તેમનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતું. તથા અન્ય એક બનાવમાં વાડલા ખાતે રહેતાં પીઠાન જાસેફ ટેટેએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!