મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે ગોધમપુરમાં રૂા. રપ લાખનાં ખર્ચે લેઉવા પટલ સમાજની વાડી બનશે

0

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામના ગોધમપુર ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આગામી દિસોમાં અદ્યતન સમાજ વાડીના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જ્ઞાતિજનોની બેઠક મળી હતી. જેમાં વિઘા દીઠ રૂા. એક હજારનું અનુદાન આપવાનો નિર્ણય કરાયો હતો. સમાજવાડીના નિર્માણનું અભિયાન ચલાવતાં હરસુખભાઈ વઘાસીયાએ જણાવ્યું છે કે ગામમાં લેઉવા પટેલ સમાજનાં ૧૦૦ જેટલા પરીવારો વસવાટ કરી રહયા છે. આ તમામ પરીવારો વિઘા દીઠ રૂા. એક હજારનું અનુદાન સમાજના ભવનના નિર્માણ માટે આપે. આશરે રૂા. રપ લાખનાં ખર્ચે સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવશે. સમાજવાડી ભવનનાં નિર્માણ માટે કમીટીની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખ મનસુખભાઈ ઉકાભાઈ વઘાસીયા, ઉપપ્રમુખ ભરતભાઈ જીવરાજભાઈ વેકરીયા, મંત્રી ધનસુખભાઈ શંભુભાઈ હીરપરા, સહમંત્રી ભીમજીભાઈ શામજીભાઈ રાણલીયા, ખજાનચી હરેશભાઈ ગોવિંદભાઈ વઘાસીયા, સહખજાનચી અલ્પેશભાઈ હરસુખભાઈ વઘાસીયા, ટ્રસ્ટીઓ રવજીભાઈ મનુભાઈ વઘાસીયા, પરસોતમભાઈ ત્રિકમભાઈ પટોળીયા, ધીરજલાલ ગોરધનભાઈ કથીરીયા, ગીરીશભાઈ પરસોતમભાઈ પાઘડાર, નરશીભાઈ નારણભાઈ વસોયાની વરણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!