માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે લોકસેવા અર્થે આગેવાનોની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણનો કાર્યક્રમ યોજાયો

0


માંગરોળમાં વસ્તીનાં પ્રમાણમાં એમ્બ્યુલન્સની ઘટ પડતી હોવાથી માંગરોળ ઓઇલ મિલ ગુલાબ પરિવાર દ્વારા તેમના પરિવારનાં સ્વ.વડીલોનાં સ્મર્ણાથે લોકસેવા માટે જરૂરીયાતમંદ લોકોને સેવા મળે તે હેતુથી ગૌરક્ષા સેનાને અર્પણ કરી હતી. આ કાર્યભાળ સોપવા બદલ ગૌરક્ષા સેનાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ અર્પણ વિધિમાં ગુલાબ પરિવારનાં સદસ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા તથા દાતાઓ દ્વારા આ એમ્બ્યુલન્સનાં નિભાવ ખર્ચ માટે દાનની સરવાણી વહી હતી. એમ્બ્યુલન્સ હેલ્પ લાઇન નં. ૭૮૦૧૯ ૧૦૧૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!