જૂનાગઢના સત્ય સેવા યુવક મંડળ દ્વારા વિરપુરના વૃધ્ધાશ્રમમાં વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

0

જુનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક દ્વારા વીરપુર ખાતે માવતર વૃદ્ધાશ્રમમાં ભોજન, સાડી, માસ્ક તથા સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૨૦-૭-૨૦૨૦ ના રોજ વીરપુર ખાતે આવેલ માવતર વૃધાશ્રમ તથા જેતપુર ખાતે આવેલ શ્રી હરિ ૐ વૃદ્ધાશ્રમ સેવા ટ્રસ્ટમાં ૧૨૫ વૃદ્ધોને દાતા દિલીપભાઈ શાહ ( લંડન )તરફથી ભોજન, હીનાબેન ગાંધી તથા અજીતભાઈ ગોધવાણી તરફથી વૃદ્ધ માતાઓને સાડી, માસ્ક, સેનેટોઇઝર આપવામાં આવેલ હતા. આ સેવા યજ્ઞમાં મનસુખભાઇ વાજા, હરસુખભાઇ અખેણીયા, મનુભાઈ સોની, પ્રવીણભાઈ જાજડીયા, કેતનભાઈ અખેણીયા, રાજુભાઈ ચૌહાણ, વિગેરેએ સેવા આપેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!