કોરોનાને મ્હાત આપ્યા બાદ બીજી વાર ખતરો રહેતો નથી

0

કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઈ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોના શરીરે આ સંક્રમણની વિરૂદ્ધ એન્ટિબલેડી બનાવી લીધી છે તેમને તેના બીજી વારના સંક્રમણનો ખતરો નથી રહતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના સિએટલથી એક માછલી પકડવાનું જહાજ રવાના થયું હતું તેમાં આવા જ ૩ લોકો મળી આવ્યા છે. આ રિપોર્ટે માછલી પકડનારા જહાજના સિએટલથી રવાના થયા પહેલાં અને પરત ફર્યા બલદ લેવામાં આવેલા એન્ટિબોડી (સીરોલોજિકલ)ની સાથો સાથ આરટી-પીસીઆર ટેસ્ટ ઉપર આધારિત છે. સમુદ્રમાં પોતાનાં ૧૮ દિવસ દરમ્યાન તે જહાજમાં ચાલક દળનાં ૧રર સભ્યોમાંથી ૧૦૪ એક જ સોર્સથી કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા.મ આ શોધ શુક્રવારે પ્રીપ્રિંટ સર્વર મેડરિકસ ઉપર પ્રકાશિત કરવામાં આવી હતી. આ શોધને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને સિએટલનાં ફ્રેડ હચ કેન્સર રિસર્ચ સેન્ટરનાં શોધકર્તાઓએ હાથ ધર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!