જૂનાગઢમાં મોટરસાયકલ અથડાવવાના સમાધાનના રૂપીયાની માંગણીકરી મોટરસાયકલ સળગાવી નાંખી

0

જૂનાગઢમાં ૬૬ કે.વી. ગૌશાળા આગળની શેરીમાં અરવીંદભાઈ કુંભારની દુકાન પાસે રહેતા જગદીશભાઈ લખમણભાઈ મેર (ઉ.વ.પ૦) એ સુલ્તાન ઈકબાલભાઈ રફાઈ, કિશોર ખાંટ, વિજય ઉર્ફે ગોટીયો અને સંજય મરાઠી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદી તથા આરોપીઓનું વાહન અથડાવવા સમાધાનના ૧૦૦૦ રૂપિયાની માંગણી કરી તે પૈસા સવારે આપીશ તેમ કહેવા છતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી તથા ભુંડી ગાળો આપી મારી મોટરસાયકલ નંજીજે-૧૧-એ-એચ-૦૦૭૪ કિ.રૂા.રપ,૦૦૦ વાળી સળગાવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!