જૂનાગઢમાં પોલીસ વિભાગ દ્વારા ફરજ દરમ્યાન મૃત્યું પામેલ કોરોના વોરીયર્સને શ્રધ્ધાંજલી અપાઈ

0

 

ગુજરાત રાજ્યમાં સુરત શહેર ખાતે ફરજ બજાવતા એએસઆઇ મોહનભાઈ કાળુભાઈ બારીયા તથા કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એએસઆઇ જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૪-૯-૨૦૨૦ તથા તા. ૫-૦૯-૨૦૨૦ ના રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાને આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હેડ.કોન્સ. મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ. ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાળી, સદ્‌ગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દેશમાં કોવિડ ૧૯ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોઈ, પોતાની ફરજ દરમ્યાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!