જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં પાંચ બનાવો

0

જૂનાગઢ જીલ્લામાં આજે ગઈકાલે અપમૃત્યુનાં પાંચ બનાવો બનવા પામેલ છે. ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામનાં દિલીપભાઈ ઉર્ફે ખોડાભાઈ ભીખાભાઈ રાખશીયા (ઉ.વ.૪પ)ને મજુરી કામ ધંધો ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં શૈલેષગીરી મણીગીરી મેઘનાથી (ઉ.વ.પ૪)નું કોઈ કારણસર ઝેરી દવા પીતા મૃત્યુ થયું છે. આ ઉપરાંત કેશોદનાં જય બીપીનભાઈ ગજેરા (ઉ.વ.રર)નું ઈલેકટ્રીક શોક લાગવાને કારણે મૃત્યુ થયું છે. જયારે કેશોદનાં ફાગડી ગામનાં અજયભાઈ રમણભાઈ નાયકનું પાણીમાં અકસ્માતે ડુબી જવાથી મૃત્યુ થયેલ છે. જયારે અન્ય એક બનાવમાં રિમલભાઈ પરસોતમભાઈ (ઉ.વ.૪પ) મોટરસાયકલ નં.જીજે-૦૩-ઈજી-૮૯૭૦ લઈને જઈ રહયા હતાં તે દરમ્યાન ભુંડ આડુ ઉતરતા ગાડી સ્લીપ થઈ જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!