સુત્રાપાડાના પીપળવા ગામે કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું, એક જ પરિવારનાં ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ, પુત્રનું મૃત્યું

0

ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્રને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે જેમા પુત્રનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયેલ છે. પીપળવા ગામના કાન્તીલાલ મુળશંકર ઉપાધ્યાય યજમાન વૃત્તી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર રાહુલ પણ યજમાન વૃત્તિ કરી અને પરિવારને મદદરૂપ થતો હતો. રાહુલને પ્રાંચીમાં યજમાન વૃત્તિ દરમ્યાન કોરોના લાગુ પડયો હતો. ત્યારબાદ રાહુલને વેરાવળની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો જયાં પાંચ દિવસની સારવાર બાદ ગઈકાલે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી પરિવાર ઉપર આભ તૂટી પડયું છે. મૃતકના માતા અને બહેનને પણ કોરોના પોઝીટીવ હોય બંનેને હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!