માંગરોળમાં રિટાયર્ડ ફોૈજી જવાનનું ભવ્ય સ્વાગત કરાયું

0

માંગરોળમાં આવેલ કોટનાથ મંદિરનાં મહંત મેઘનાથી ભીખુબાપુના પુત્ર મેઘનાથી શૈલેશગીરી ભીખનગીરી આર્મીમાંથી રિટાયર થઈ પોતાના માદરે વતન તેમના પરીવારમાં પધારતા તેમના માતા પિતા દ્વારા તેમજ માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને નગરપાલિકા ઉપપ્રમુખ દ્વારા તેમના નિવાસસ્થાને કોટનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં શાલ ઓઢાડી, હારતોરા કરી, મીઠા મોઢા કરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ફોજી શૈલેશગીરી છેલ્લા ૧૭ વર્ષથી ભારત માતાની સેવા આપતા પંજાબ બોર્ડરથી પરત પોતાના ઘરે આવતા તેમના પરીવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ભારત માતા કી જય, વંદેમાતરમ, જય જય શ્રી રામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. સ્વાગત કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠ્ઠલાણી, વિશ્વ હિન્દુ પરિષદ ગીર-સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળના પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, ઉપપ્રમુખ મહેશભાઈ ઘેરવડા, પંકજભાઇ રાજપરા, મુકેશભાઈ ચતુરાણી, બજરંગ દળ પ્રમુખ અમિશભાઈ પરમાર, હિતેશ અગ્રાવત, ન.પા.સદસ્ય રાજુભાઈ જોષી, ગાયત્રી પરીવારના દિલિપ જોશી, કરશનભાઈ હોદાર, આશીષભાઈ ઠાકર વિગેરે આગેવાનો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!