સોમનાથ પંથકમાં નવરાત્રીમાં વાજીંત્ર વેંચાણ-રીપેરીંગને કોરોનાનું ગ્રહણ

0

રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો
હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં એ જ ખેલૈયાઓને પોતાનાં વાજીંત્ર-સૂરનાં સથવારે અને ઝળહળા રોશનીથી ગરબાનાં તાલે ઘૂમવા થનગની રહેલા યુવાનો-યુવતીઓ વાજીંત્રો ઉપર થાપ પડે તે સાથે જ સ્વરનો કાન અને લયનો પગ સાથે સંવાદ સધાય છે અને તન્મયતા જાેશ અનેક નાના-મોટા વાજીંત્રને આભારી છે. ગીર-સોમનાથ પંથકમાં રામભરોસે પોલીસ ચોકી પાસે શુભમ્‌ વાજીંત્ર ભંડારની વર્ષો જૂની દુકાન છે અને વેપારી દેવડાભાઈએ જણાવ્યું કે આટલા વર્ષોની નવરાત્રીનાં ઈતિહાસમાં પહેલી વાર જ કોરોનાને કારણે નવરાત્રી વાજીંત્રોની ખરીદી-રીપેરીંગ સાવ ઠપ્પ કોરોનાને કારણે થઈ છે. ગત વર્ષે ભાદરવા મહિનાથી એક દિવસમાં દસથી વધુ સંગીતવાદકો રીપેરીંગ કરવા કે ખરીદી માટે આવતા હતા જયારે આ વર્ષે આખા મહિનામાં માત્ર પાંચ જ જેટલા લોકો આવ્યા. ખાસ કરીને તબલાં, ઢોલ, ઢોલકા, નગારા, પખવાજ, નાલ, ગીટાર, આરતી મશીનનાં ધંધાને કોરોનાની વૈશ્વીક મહામારીની અસર પડી છે. જેનાં તબલાની થાપી, ઢોલીનો ધબકાર, હારમોનીયમની સુરાવલીથી ખેલૈયાઓ પરસેવે રેબઝેબ થઈ જાય ત્યાં સુધી ઝૂમી રહ્યા હોય તેને માટે અનલોક શું જાહેર થાય છે તેની રાહ જાેઈ રહ્યા છે. સોમનાથ વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં હવે લોકો વાજીંત્ર વાદકોને બદલે રેર્કોડેડ ટેપ વગાડી ગરબે રમતા હોય છે. તેમજ જે વાજીંત્ર સાથે ગરબી રમાય છે તેમાં પણ ઢોલ, તબલાં, પખવાજ, ઢોલકને બદલે ડીજે અને વેર્સ્ટન ઈન્સ્ટુમેન્ટોનાં વાજીંત્રોનું ચલણ વધ્યું છે. તબલાં કે હારમોનીયમની સુરીલી દબાતી ચાંપો આગામી વર્ષોમાં ઈતિહાસ બની ન જાય તો નવાઈ નહી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!