નવરાત્રી અને દિવાળી સહિતનાં તહેવારો અંગે રાજય સરકારની માર્ગદર્શિકા

0

• રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીનાં સંદર્ભમાં રાજય સરકારે આગામી તહેવારો અને ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
• રાજય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓકટોબર ર૦ર૦થી કરવાનો રહેશે.
• આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમ્યાન રાજયમાં કોઈપણ ગરબાનાં જાહેર આયોજન કરી શકાશે નહી
• નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખૂલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટો કે મૂર્તિને ચરણ સ્પર્શ નહી કરી શકાય કે પ્રસાદ વિતરણ નહી કરી શકાય.
• આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આશ્યક રહેશે.
• દૂર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષનાં સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમાં જેવા ઉત્સાવો-પૂજા ઘરમાં રહીને પરિવારનાં સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
• ર૦૦થી વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે તમામ નિયમોનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક રમત-ગમત, મોનરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોકકસ શરતોને આધીન પરવાનગી અપાશે.
• છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
• સમગ્ર સમારંભ દરમ્યાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
• થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઈક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાનાં રહેશે.
• હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજીયાત અમલ કરવાનો રહેશે.
• સમારંભ દરમ્યાન થૂકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
• ૬પથી વધુ વયનાં વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યકિતઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.
• જાે આવા સમારંભો હોલ, હોટલ, બેન્કવેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજાેની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીનાં પ૦ ટકા કે વધુમાં વધુ ર૦૦ વ્યકિતની મર્યાદામાં જ યોજી શકાશે.
• લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યકિતઓ ભાગ લઈ શકશે.
• મૃત્યું બાદની અંતિમ ક્રિયા-ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા રહેશે.
• આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજુરી આવશ્યક છે.
• મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જયાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેનાં ઉપર પ્રતિબંધ રહેશે.
• આ સૂચનાઓનાં ભંગ થવાનાં કિસ્સમાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
• તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તાત્કાલીક ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

error: Content is protected !!