જૂનાગઢનાં રોહિત અઘારા સહિત ૩૬ મામલતદારોની બદલી

0

રાજયના મહેસુલ વિભાગ દ્વારા ૩૬ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જસદણના આઇ.જી. ઝાલાને પાટણ, જેતપુરના ડી.એ. પંચાલને ગાંધીનગર, જૂનાગઢના રોહિત અઘારાને વડનગર, માંગરોળના હાર્દિક બેલડીયાને અંકલેશ્વર, ઓખામંડલના વિવેક ભરતને ભૂજ, કેશોદના હેતલ ભાલિયાને ગાંધીનગર, ધ્રોલના રાજુ હુનને સુત્રાપાડા, ગિર-સોમનાથના કે.આર. શાહને મહેસુલ વિભાગ ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત જામનગરના એચ.કે. પરમારને દ્વારકા અને દ્વારકા કલેકટર કચેરીના વી.બી. ધ્રુવને ડીઝાસ્ટર મેનેજમેન્ટ જામનગરમાં નિમણુંક આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!