સોમનાથના સુરક્ષા વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

0

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિરે સશસ્ત્ર દળના જવાનો અને અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ આવેલ સોમનાથ મંદિરે દશેરાના પાવન પર્વે રાષ્ટ્રીય સક્ષમતાના ભાગરૂપે દિગ્વીજય દ્વાર ખાતે મંદિર સુરક્ષામાં કાર્યરત પોલીસ અને સોમનાથ ટ્રસ્ટના સુરક્ષાદળના શસ્ત્રોનું વૈદ મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોને પૂજન-ચંદન તીલક સાથે આરતી પૂજન કરવામાં આવેલ હતું. આ તકે સોમનાથ મંદિર સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. ઉપાધ્યાય, ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, એસ.આર.પી.ના પી.આઇ. આર.વી. પાંડવ, પ્રજાપતિ, પી.એસ.આઇ. પી.વી. સાંખટ, અધિકારી સુરૂભા જાડેજા, જીતુપુરી બાપુ, ઉમેદસિંહ જાડેજા સહીતના ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!