વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાના બનાવવા માંગણી

0

વેરાવળ-સોમનાથમાં ચાલતા રસ્તાના કામો સારી ગુણવતાવાળા થાય તે અંગે પાલીકાના અધિકારીને કોંગ્રેસ પ્રમુખે રજુઆત કરી માંગણી કરી છે. વેરાવળ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠાએ કરેલ રજૂઆતમાં જણાવેલ કે, પૂર્ણ થયેલ ચોમાસાની સીઝનમાં પડેલ ભારે વરસાદના કારણે વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના રસ્તાઓનું સદંતર ધોવાણ થઇ ગયેલ હોય તેમ ઠેર-ઠેર મસ મોટા ખાડાઓ પડી ગયેલા છે. જેથી લોકોએ વાહનો ક્યાં ચલાવવા તેની મુશ્કેલી ઉદભવી છે. આ રજૂઆત સંદર્ભે યોગ્ય કામગીરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડનાર હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!