લોઢવામાં કુળદેવી અભ્યાય માતાજીનાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

0

લોઢવા ખાતે આવેલ સમસ્ત વાઢેર (આહિર)ના કુળદેવી અભ્યાય માતાજીનું જુનું મંદિર હતું તે જગ્યાએ નવું ભવ્ય મંદિર બનાવેલ છે તે જગ્યાએ અભ્યાય માતાજીની મૂર્તિ છે તે મૂર્તિની પૂર્નઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૬/૧૧/ર૦ર૦ શુક્રવાર આસો વદ છઠ્ઠથી ત્રિદિવસીય સુધીનો મહોત્સવ ધામધુમ પૂર્વક યોજાશે જેમાં સરકારી ગાઈડલાઈનનું પાલન કરી યોજવાનું નક્કી કરેલ છે. આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે મંદિરના મુખ્ય દાતા સ્વ.દાનાભાઈ મુળાભાઈ વાઢેર પરીવારના જેઠાભાઈ દાનાભાઈ વાઢેર મુ.વિરોદર, હાલ સુરત મુખ્ય યજમાન તરીકે રહેશે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે બારોટના ચોપડે પરીવાર બાકી રહેલા નામોનું નામકરણ કરવામાં આવશે. રવિવારે પૂર્ણાહુતી રાખલ છે. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત વાઢેર પરીવારના વડીલો તથા યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!