જૂનાગઢમાં મોટર સાયકલ અથડાવતા અકસ્માત, પ્રૌઢનું મૃત્યું

0

જૂનાગઢમાં અક્ષરમંદિરથી કલેકટર કચેરી તરફ જતાં માર્ગ ઉપર મોટરસાયકલે હડફેટે લેતા એકનંુ મૃત્યુ થયું છે. આ બનાવ અંગે દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા ગાંગાભાઈ મેણંદભાઈ ખુંટી (ઉ.વ.૪૯) એ પોલીસમાં એવા મલતબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનાં પિતા ચાલીને જતાં હોય તે દરમ્યાન મોટર સાયકલનાં ચાલક દિનેશભાઈ માંડણભાઈ સોલંકી રહે. મોટાકાજલીયાળાવાળાએ વાહન પુરઝડપે ચલાવી અને મોટર સાયકલ ફરીયાદીના પિતા સાથે અથડાવતા ફરીયાદીનાં પિતાને માથાના ભાગે ઈજા થતાં તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મોટર સાયકલના ચાલક દિનેશભાઈ માંડણભાઈ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. જયારે અન્ય એક બનાવમાં વડાલના જગજીવનભાઈ નારણભાઈ વઘેરા (ઉ.વ.પપ)એ અજાણ્યા ફોરવ્હીલ ગાડી નં.જીજે-૧૮-બીજી- ૬૮૯૦નાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી માનવ જીંદગી જાેખમાય એ રીતે ચલાવી ફરીયાદીના પુત્ર સુનીલ જગજીવનભાઈ વઘેરાને રોડ ક્રોસ કરતા હડફેટે લઈ ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી જતા ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વુ.હે.કો. આર.એ. બાબરીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!