જૂનાગઢમાં ૭ તોલા સાથે બે લાખની માલમત્તાની થયેલ ચોરી

0

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા કરીયાણાનાં વેપારીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. તિજાેરી તોડીને રપ હજાર રોકડ, ૭ તોલા- સોના- ચાંદીના દાગીના મળીને બે લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. જૂનાગઢમાં ખામધ્રોળ રોડ આવેલ અર્જુનપાર્ક સોસાયટીમાં રહેતા અને સાબલપુર ખાતે અનામિકા પ્રોવિઝન સ્ટોર ચલાવતા ભાવેશ મોહનભાઈ કાપડીયા ગઈકાલે રાતે સાબલપુર રહેતા માતા-પિતાના ઘરે બીમાર બહેનના ખબર અંતર પુછવા ગયેલા અને ત્યાં જ રાત રોકાઈ ગયા હતાં.
બીજા દિવસે આજે સવારે તેઓ સીધા દુકાને પહોંચ્યા ત્યારે તેના ઘરની બાજુમાં રહેતા પડોશી દાનાભાઈ ગરચરનો ઘરમાં ચોરી થયેલ હોવાનો ફોન આવ્યો હતો. જેથી ભાવેશભાઈ જૂનાગઢ સ્થિત બંધ મકાને પહોંચ્યા હતા, અહીં તસ્કરોએ નકુચા તોડી ઘરમા પ્રવેશી બેડરૂમમાં રહેલ કબાટની તિજાેરી તોડી તેમાંથી રપ હજાર રોકડ, તેમજ ચાર તોલાનો સોનાનો સેટ, બે તોલાની સોનાની બંગડી, વીંટી, પોચો, તેમજ પરચુરણ દાગીના ચાંદીના દાગીના મળીને કુલ ૧,૯૮,૭૦૦ની માલમતા ચોરી ગયાનું માલુમ પડતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તેની આગળની સોસાયટીમાં પણ એક ઘરના તાળા તુટયા હોવાનું સામે આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!