જૂનાગઢમાં બેકારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

0

જૂનાગઢમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળી માનસીક હતાશામાં આવી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. બી-ડીવીઝન પોલીસમાંથી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગીરીરાજ મેઈન રોડ ઉપર સાંઈબાબા એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૭માં રહેતા રોનકભાઈ જેઠાનંદ (ઉ.વ.ર૩) નામનાં યુવાને બેકારીનાં કારણે નોકરી ન મળવાથી ડિપ્રેશનમાં આવી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે જેઠાનંદ કેશવલાલ ત્રિકલાણીનું નિવેદન નોંધી હે.કો. ડી.એસ.બાબરીયાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!