માણાવદરમાં જલારામ મંદિર ખાતે વીરદાદા જશરાજ શહિદદિનની ઉજવણીનું આયોજન

0

માણાવદરમાં જલારામ મંદિર ખાતે પુ. વીરદાદા જશરાજનાં શહિદદિન નિમિત્તે તા. રર-૧-ર૦ર૧ ના રાત્રે ૭ થી ૯ સુધી લોહાણા જ્ઞાતિ માટે જમણવારનું આયોજન કરાયું છેે. પ્રસાદી લેવા આવતા દરેક લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બાળકો અને વડીલો જે આવી શકે તેમ ન હોય તેમના માટે ટીફીનમાં પ્રસાદ ભરી અપાશે. આ તકે તમામ જ્ઞાતિજનોને બપોરે બે વાગ્યાથી વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર આયોજન માટે ભગતભાઈ રાજા (બટેટાવાળા) દ્વારા અનુદાન અપાયું છે તેમ છતાં ઈચ્છુક જ્ઞાતિજનોએ જલારામ મંદિરની દાન પેટીમાં દાન પધરાવવા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!