જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામબાપા તથા વીરબાઈમાં મંદિરે ગૌરક્ષાના જાપ કરાયા

0

જૂનાગઢમાં હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા તથા વીરબાઈમાંના મંદિર ખાતે પવિત્ર ધનારખ માસ તા.૧પ-૧ર-ર૦ થી ૧૪-૧-ર૧ દરમ્યાન ગૌરક્ષા જનજાગતિ અભિયાન અંતર્ગત યોજાયેલ ગૌરક્ષા જાપ કાર્યમાં ભાવીક ભાઈ-બહેનો તથા યુવક-યુવતીઓ અને બાળકો દ્વારા નિજ મંદિરમાં ગાય માતાની મુર્તિ તેમજ દેવોના ચિત્રજીની સન્મુખ સતત એક મહિના સુધી બેસીને કરવામાં આવેલ ૧ કરોડ ર૭ લાખ પ૩ હજાર પ૦૦ જેટલા ગૌરક્ષા જાપ સેંકડો ભાવિકોની હાજરીમાં તેમજ મુખ્ય મહેમાન લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, મંદિરના ટ્રસ્ટીગણની ઉપસ્થિતીમાં ટ્રસ્ટ મંડળના પ્રમુખ અને ગૌરક્ષા જાગૃતિ અભિયાન ચલાવનાર મહેન્દ્રભાઈ મશરૂના હસ્તે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સાંજે ૭ કલાકે ગાય માતાની પ્રતિકૃતિ (મૂર્તિ)ના ચરણે અર્પણ કરવામાં આવતા ઉપસ્થિત ભાવિક ભાઈ-બહેનોએ ગૌમાતાનો જયઘોષ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!