આવતીકાલે ગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ

0

ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી સંયુકતપણે આપણે સહુ આપણા સૌના વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. જ્યાં વૈશાલીમાં દુનિયાનું પુરાણું ગણતંત્ર હતું તેવી ભારત ભૂમિમાં સહસ્ત્રાબ્દીઓ બાદ નવીન અને આધુનિક ગણતંત્ર ફરીથી નિર્માયું અને આજે આપણે તે ગણતંત્રના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ. કેટલાક ક્ષેત્રોમાં સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રોમાં હજુ વધુ મહેનતની જરૂર છે. છતાં એકંદરે સતત અસ્થિરતાના આ વિશ્વમાં લોકશાહીને આપણે ટકાવી શક્યા છીએ એટલું જ નહી વધારે મજબુતીથી સુસ્થાપિત કરી છે. આજના દિવસે વિદેશી આધિપત્યના, અન્યાય અને ગુલામીના, દેશની આર્થિક, સામાજીક અને સંસ્કૃતિક અધઃપતન માટે કારણરૂપ સંસ્થાનવાદ સામે અવાજ ઉઠાવવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સહુ નામી-અનામી શહીદોના બલિદાનને યાદ કરી તેમના સપનાનું સમૃધ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારત બનાવવા પોતાની ભૂમિકા ભજવવાની પ્રતિજ્ઞા લઈએ. આજે પણ આપણે વિકાસશીલ દેશ છીએ. કુદરતી સંસાધનોથી ભરપુર ભૂમિના સંતાનો હોવા છતાં કુપોષણ, ભૂખમરો, અશિક્ષણ, બાળમજૂરી, બેકારી, જેવી પાયાની સમસ્યાઓને પણ હલ કરવામાં આંશિક જ સફળ થયા છીએ. આર્થિક અસમાનતા અને મહિલા સશસ્ત્રીકરણ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. સામાજિક ન્યાય, આરોગ્ય અને સમતાપૂર્ણ સમાજના નિર્માણનો ધ્યેય અપૂર્ણ છે. આતંકવાદ અને નકસલવાદની સમસ્યાઓ ગંભીર છે. નિરાકરણ માટે વધુને વધુ પ્રયત્નોની જરૂર છે. તેમ છતાં, આજે આપણો દેશ વિશ્વની સહુથી ઝડપથી વિકસતી અર્થ-વ્યવસ્થા છે. દુનિયાની ત્રીજા ક્રમની સૈન્ય શક્તિ હોવા સાથે અવકાશ સંશોધન ક્ષેત્રે દુનિયામાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ન્યુક્લિયર શક્તિ હોવા સાથે અનાજ ઉત્પાદનમાં આર્ત્મનિભર છે. દુનિયાની સહુથી વધુ યુવાન વસ્તી ધરાવતો આપણો દેશ આવનાર પડકારોનો સામનો કરવા કટીબદ્ધ છે. આ દેશમાં આજે તેજસ જેવા વિમાનોથી લઇ અગ્નિ જેવી મિસાઈલ બનાવવાની ક્ષમતા છે. મંગલ મિશનની સફળતા આપણા વૈજ્ઞાનિક વિકાસને દર્શાવે છે તો દુનિયાનો કોઈ દેશ કે પ્રજા ભારતને અવગણી ના શકે તેવું વૈશ્વિક મહત્વ મેળવી ચુક્યા છીએ. અનેક સફળતાઓ મેળવી છે અને હજુ તેથી વધુ કરવાનું બાકી છે. અત્યારે ભારતની ગણના વિકાસશીલ મહાસતા તરીકે થાય છે. ખરીદશક્તિની દ્રષ્ટિએ ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. એક સમયે ભારત વિશ્વગુરૂ તરીકે જાણીતું હતું. આપણું રાષ્ટ્ર પતંજલિ અને શંકરાચાર્ય જેવા મહાન ફિલસૂફ, ચરક અને સુશ્રુત જેવા વૈદ્ય, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ગણિતજ્ઞનું જન્મસ્થાન છે. આપણા દેશમાં એ સોનેરી યુગનું પુનરાગમન થશે અને એ દિવસો બહુ દૂર નથી. આપણા દેશના સમૃદ્ધ વારસાના સંદર્ભમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, “આ માટીમાં કંઈક વિશેષતા છે, જયાં અનેક અવરોધો વચ્ચે પણ મહાન આત્માઓ જન્મ લે છે. ‘‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી બોઝ, વીર સાવરકર’’ જેવા મહાન નેતાઓની આગેવાનીમાં ભારતે બ્રિટિશરો સામે સ્વતંત્રતા સંગ્રામની લડાઈ લડી હતી, જ્યારે ભારત વિકસિત અને ૧ સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત થવા ઇચ્છે છે ત્યારે આ મહાનુભાવોના વિચારો અને જીવન આપણને સતત પ્રેરિત કરતા રહેશે. અત્યારે દુનિયાના વિવિધ દેશોમાં વયોવૃદ્ધ લોકોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરેરાશ ૩૦ વર્ષથી ઓછા લોકોની બહુમતી ધરાવતું યુવા રાષ્ટ્ર છે. આપણી યુવા પેઢીની ઊર્જાને રાષ્ટ્રનિર્માણ માટે રચનાત્મક રીતે વળવાની જરૂર પડશે. જાે આપણે આપણા યુવાનોને પર્યાપ્ત પ્રોત્સાહન આપીશું અને જરૂરી કુશળતાઓ સાથે સજજ કરીશું તો એ સમાજમાં પરિવર્તન લાવવાનું માધ્યમ બની શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!