વેરાવળના આશ્રમમાં નિરાધારોને આચાર્ય મહારાજે ધાબળા વિતરણ કર્યા

0

વડતાલ દક્ષીણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ.૧૦૦૮ આર્ચાય અજેન્દ્રપ્રસાદ મહારાજના આર્શીવાદથી ભાવિ આર્ચાય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ હરીભકતોની શુભેચ્છા મુલાકાતે વેરાવળ-સોમનાથ પધારેલ હતા. ત્યારે શહેરમાં પ્રવેશતા ટોલનાકા પાસે આવેલ નીરાધારના આધાર આશ્રમની મુલાકાત લઇ આશ્રમના કાર્યક્રરોને આવુ નૈતિક કામ કરવા બદલ બીરદાવેલ હતાં. પ.પૂ. શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે આશ્રમમાં રહેતા ૫૫ જેટલા નિસહાય પીડીતોને આર્શીવાદ સાથે ગરમ ધાબળાઓનું વિતરણ કરેલ હતું. આવા ઉમદા કાર્યો અવાર-નવાર થતા હોય ત્યારે આ પ્રસંગે વેરાવળ તેમજ આજુબાજુના મોટી સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહેલ હતા. ઇષ્ટદેવ
શ્રી સ્વામીનારાયણ ભગવાનના જયધોષ સાથે પ.પૂ. લાલજી મહારાજશ્રીના આ કાર્યને બીરદાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!