વેરાવળમાં ભાજપ સંગઠનના નવનિયુકત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

0

વેરાવળ શહેરની મુખ્ય બજાર એવી સુભાષ રોડ, સટાબજાર, એમજી રોડના વેપારી એસો. સંયુકત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોને સન્માનીત કરવા માટેનો કાર્યક્રમ યોજેલ હતો. તાજેતરમાં વેરાવળ વેપારી એસો. આયોજીત સન્માન સમારોહમાં ૩૫૦થી વધુ વેપારીઓ હાજર રહેલ હતા. આ સમારોહના પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયેલ જેમાં રેવાભાઇ મહારાજ દ્વારા મંત્રોચ્ચાર કરેલ હતા. ત્યારબાદ ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નિમણુંક થયેલ સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, મહામંત્રી ડો.જયેશભાઇ વઘાસીયા, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, મહામંત્રી કપિલભાઇ મહેતા, ભરતભાઇ ચોલેરા, પ્રવીણભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ ચોલેરા, ડો. સંજયભાઇ સહીતના મહાનુભાવોને મોમેન્ટો આપી ફુલહાર શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ હતા.
આ સમારોહમાં સન્માનીત આગેવાનો અને વેપારીઓએ પોતાના ઉદબોધનમાં વેપારીઓના પ્રશ્ને ભાજપના નેતાઓથી લઇ કાર્યકર હમેંશા વેપારી વર્ગ સાથે રહયા છે. આગામી સમયમાં પણ રહેશે. સોમનાથ ભૂમિના વતની અને લોકપ્રતિનિધિઓને સરકાર અને સંગઠનમાં સ્થાન મળે તે શહેર માટે ગર્વ સમાન છે. લોકપ્રતિનિધિઓ અને વેપારીઓ એક મેકના બનીને રહે એટલે જટીલમાં જટીલ પ્રશ્નોનું સો ટકા નિરાકરણ આવવાની સાથે વેપારનો પણ વ્યાપ વધે છે. ત્યારે ભાજપ પાર્ટી હમેંશા વેપારી વર્ગના હિતને સર્વોપરી રાખનારી છે. આ સમારોહમાં ગીરીશભાઇ પટ્ટ, મેઘરાજભાઇ લાલવાણી, મહેન્દ્રભાઇ વિઠલાણી, મનોજ લાલવાણી, સંજય સાગર, અનીષ રાચ્છ સહીતના વેપારી આગેવાનો તથા અનેક સમાજના પ્રમુખો હાજર રહેલ હતા. સમારોહનું સંચાલન જે.પી.ભાવસાર, વિજય સાગરે કરેલ હતુ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!