દ્વારકામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કેમ અટકાવી દેવાઈ ? લોકોમાંથી ઉઠતો સવાલ

0

દ્વારકામાં નડતરરૂપ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી જિલ્લા કલેકટરની સૂચનાથી હાથ ધરાઈ હતી. સરકારી જગ્યા ઉપર દ્વારકામાં થયેલા દબાણો દૂર કરવાની વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ ડીમોલીશન કામગીરી અચાનક અટકી જતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચર્ચા ઉઠવા પામી છે. વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવવાની કામગીરીમાં નાના દબાણકારો ઝપટે ચડી ગયા છે અને મોટો મગરમચ્છો કેમ રહી ગયા તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા અમલી બનાવાયેલ લેન્ડ ગ્રેબીંગનો કાયદો માત્ર હવામાં જ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!