જૂનાગઢ તાલુકાનાં સુખપુર પાટીયા પાસે સર્જાયો ગંભીર ત્રિપલ અકસ્માત : એકનું મૃત્યું

0

જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, સુખપરના પાટીયા પાસે બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું, જ્યારે બે મહિલા સહિત છ લાકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વધુ વિગત મુજબ જૂનાગઢ નજીકના સુખપુર પાટીયા પાસે થયેલા અકસ્માતમાં આધેડનું મોત થયું છે. જ્યારે ૪ને ઇજા થતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે તાલુકા પોલીસે જણાવ્યા મુજબ રવિવારે સવારના ૧૦ વાગ્યા આસપાસ વડાલ રોડ ઉપરના સુખપુરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીજે-૧-બીટી-૬૯૮૨ નંબરની બોલેરો અને જીટી-૩૬-બી-૫૮૫૬ નંબરની ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માધુપુર ઘેડના ૬૦ વર્ષિય આધેડ વિરમભાઇ ગાંગાભાઇ મોકરીયાનું મૃત્યું થયું છે. જ્યારે પ્રવિણભાઇ ઉર્ફે હરેશભાઇ પરબતભાઇ મોકરીયા, પુતીબેન પરબતભાઇ મોકરીયા, રૂડીબેન વિરમભાઇ મોકરીયા અને રમેશભાઇ ગણેશભાઇને ઇજા થતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દરમ્યાન આ અકસ્માત અંગે પ્રવિણભાઇ ઉર્ફે હરેશભાઇ પરબતભાઇ મોકરીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એએસઆઇ એસ.એમ. દિવરાણીયાએ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!