સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેન હવે વિરપુર સ્ટેશન ઉપર રોકાશે

0

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિરપુર સ્ટેશન ઉપર સોમનાથ-જબલપુર વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર ૦૧૪૬૩ (સોમનાથ-જબલપુર) વિરપુર સ્ટેશન ઉપર ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આગમનનો સમય બપોરે ૧૨.૨૧ અને પ્રસ્થાનનો સમય બપોરે ૧૨.૨૨ વાગ્યે રહેશે. ટ્રેન નંબર ૦૧૪૬૫ (સોમનાથ-જબલપુર) વિરપુર સ્ટેશન ઉપર ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આગમનનો સમય બપોરે ૧૨.૨૧ વાગ્યે અને પ્રસ્થાનનો સમય બપોરે ૧૨.૨૨ વાગ્યે રહેશે. તેવી જ રીતે, પરતનો સમય ટ્રેન નંબર ૦૧૪૬૪ (જબલપુર-સોમનાથ જે
૧૩-૨-૨૦૨૧ ના રોજ જબલપુરથી ઉપડશે) ના વિરપુર સ્ટેશન ઉપર આગમનનો સમય ૧૪.૫૧ વાગ્યે અને પ્રસ્થાનનો સમય ૧૪.૫૨ વાગ્યે રહેશે. ટ્રેન નંબર ૦૧૪૬૬ (જબલપુર-સોમનાથ જે ૧૫-૨-૨૦૨૧ ના રોજ જબલપુરથી ઉપડશે) ના વિરપુર સ્ટેશન ઉપર ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આગમનનો સમય ૧૪.૫૧ વાગ્યે અને પ્રસ્થાનનો સમય ૧૪.૫૨ વાગ્યે રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!