સાળંગપુર ખાતે દાદાનાં દરબારમાં કેસુડાનો શણગાર તથા ખજુર-ધાણીનો અન્નકૂટ ધરાવાયો

0

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરજી સ્વામિનાં માર્ગદર્શનથી તા.૧૩-ર-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામિ દ્વારા તથા દાદાની શણગાર આરતી ૭ઃ૦૦ કલાકે તથા અન્નકૂળ આરતી ૧૧ઃ૦૦ કલાકે શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી.
શ્રી કષ્ટભંજનદેવને કેસુડાનાં ફુલ તથા ખજુર-ધાણી ધરાવવી દાદાને વિશેષ શણગાર કરવામાં આવેલ તથા મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞ કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ salangpur Hanumanji – official યુટયુબ ચેનલ દ્વારા લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!