જૂનાગઢના આયુર્વેદિક તબીબે ગુજરાત યુનિવર્સીટી સાથે રહી કર્યું સૌથી મોટું કાર્ય : ગુજરાત યુનિવર્સીટી અમદાવાદને સીટીઆરઆઇમાં ટ્રાયલ રજીસ્ટ્રેશન આપ્યું

0

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ મહામારીના કારણે લોકો મરી રહ્યા છે ત્યારે વિશ્વના તબીબી વૈજ્ઞાનિકો આ કોરોના મહામારીને રસીથી કેમ અટકાવી શકાય તેના સંશોધનમાં પડઘા દેશવ્યાપી પડયા હતા. ભારતના વૈજ્ઞાનિકોએ પણ રસીનું સંશોધન કર્યું છે. આધુનિક તબીબી વિજ્ઞાન તરફ લોકોની નજર હતી ત્યારે ભારતમાં ૫ હજારથી વધુ વર્ષ જુના આયુર્વેદના વારસાનું જતન કરતા આયુર્વેદના નિષ્ણાંતો પણ આ મહામારીને આયુર્વેદિક એટલે કે વનસ્પતિમાંથી બનાવેલી દવા દ્વારા કોરોનને કેમ માત કરી શકાય તે દિશામાં કાર્યરત હતા. પરંતુ જૂનાગઢમાં રહીને ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ સાથે જાેડાઈને કાર્ય કરતા જૂનાગઢનાં ડો. અક્ષય સેવકે કોરોના મહામારીના પ્રારંભિક કાળમાં એ નક્કી કરી લીધું હતું કે જાે વનસ્પતિનો યોગ્ય ઉપયોગ કરીને કોરોનો પોઝિટિવ દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવે તો તેને નાથી શકાય છે અને એ માટે સરકારી ધારાધોરણ મુજબ મંજૂરી લઈને કામ કરવા માટે ગુજરાત યુનિવર્સીટીએ આયુષ વિભાગ ગાંધીનગરથી ૫ મહિનાની લાંબી મથામણ બાદ ટ્રાયલની મંજૂરી મેળવી હતી. જેમાં સફળતા બાદ હવે આ દવાની ટ્રાયલને કેન્દ્ર સરકારના સીટીઆરઆઈમાં રજીસ્ટ્રેશન આપી દેવામાં આવતા ગુજરાત યુનિવર્સીટીનું નામ સમગ્ર દેશમાં રોશન થયું છે. કોરોના મહામારી શરૂ થયા પછી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના રસી અંગે વિવિધ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી અને વિવિધ ઉકાળા અને દવાથી પણ કોરોનને માત કરી શકાય છે તેવું લોકોને સમજાવ્યું હતું. જાેકે આ બધી સારવાર પરંપરાગત હતી જેના કોઈ વૈજ્ઞાનિક આધાર હતા નહીં પરંતુ ઇમ્યુનોલોજી ઉપર વર્ષોથી કામ કરતા જૂનાગઢના આયુર્વેદિક તબીબ ડો. અક્ષય સેવક એ વાત ઉપર મક્કમ હતા કે કોરોના વાયરસ માનવ શરીરમાં ડેમેજ કરે ત્યારે જાે તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવે તો આ મહામારીમાંથી દર્દી બચી શકે છે. ગુજરાત આયુષ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી. એ સમયે બે હોસ્પિટલ અને હોમકોરોનટાઇન દર્દીઓને તમામ પરીક્ષણ ઉપર કરી ટ્રાયલ થઈ ચુકેલી આ દવા આપવામાં આવી હતી. જેમાં માત્ર ૨૧ દિવસમાં એન્ટિબોડી બની ગયા હતા એ ઉપરાંત તમામ લક્ષણો પણ ૭ થી ૧૫ દિવસમાં દૂર થઇ ગયા હતા. પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ ગુજરાત યુનિવર્સીટીએ પૂર્ણ કર્યા પછી એથિકલ કમિટીના મંજૂરીના આધારે ફાયનલ ટ્રાયલ માટે ભારત સરકારના આઈસીએમઆર વિભાગના રજીસ્ટ્રેશન સીટીઆરઆઇમાં એપલાઈ કરવામાં અવાયું હતું. જેને રજીસ્ટ્રેશન મળી જતા કોરોના મહામારીને નાથવા માટે મોઢેથી લેવામાં આવતી દવાની આખરી ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સીટીમાં આવેલ લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. રાકેશ રાવલ જૂનાગઢના ડો. અક્ષય સેવક સાથે મળીને વિવિધ રોગ ઉપર કામ કરી રહ્યા છે. ઇમ્યુનોલોજી ઉપર કામ કરતી વિવિધ આયુર્વેદિક એટલે કે વનસ્પતિજન્ય દવા માનવ શરીરમાં આવતા રોગને નાથવામાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે અને કોઈપણ વાયરસ ઉપર એલોપેથી દવાની જેમ જ વનસ્પતિજન્ય દવા વધુ સારૂ પરિણામ આપી શકે છે તેનો આ વૈજ્ઞાનિક પુરાવો છે. મહત્વની વાત એ છે કે કોરોના મહામારીને નાથવા માટે ભારત સહીત વિશ્વની અનેક યુનિવર્સીટીમાં કામ થતું હતું પરંતુ વનસ્પતિજન્ય દવા દર્દીને પીવડાવી કોરોના પોઝિટિવ દર્દીઓમાં એન્ટિબોડી બનાવી શક્યા હોય તેવી વિશ્વની આ પહેલી ઘટના છે અને આવનારા દિવસોમાં આખરી ટ્રાયલ પૂર્ણ થયા પછી સમગ્ર વિશ્વની નજર આ વનસ્પતિજન્ય દવા ઉપર નજર મંડાયેલી હશે તેમાં શંકા નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!