ભાલછેલ ગામે ટ્રક પલટી ખાતા મૃત્યું

0

ગીર-સોમનાથ જીલ્લાનાં કોડીનાર તાલુકાનાં અરણેજ ગામનાં કિશોરભાઈ ચુનીલાલ કવાએ માનસીંગભાઈ કાળાભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ભાઈ કનુભાઈ તથા નાથાભાઈ રાજાભાઈ રાઠોડ ટ્રક નં.જીજે-૧૧-ટીટી-૬૯૮૧ના ચાલક માંનસીંગભાઈ કાળાભાઈ સોલંકી રહે.અરણેજ તા.કોડીનાર વાળા સાથે ટ્રકની કેબીનમાં બેસી રાજકોટ દવાખાને સારવાર અર્થે જતા હતા તે દરમ્યાન ટ્રકના ચાલકે પોતાના કબજા હવાલાવાળી ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જાેખમાય તે રીતે ચલાવી ટ્રકને પલટી ખવડાવી ટ્રકમાં બેસેલ સાહેદ નાથાભાઈના શરીરે મુંઢ ઈજા કરી તથા ફરીયાદીના ભાઈ કનુભાઈનું મોત નિપજાવી નાશી જતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ મેંદરડા પીએસઆઈ કે.એમ.મોરી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!