જૂનાગઢનાં આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન બ્રહ્મસમાજના પત્રકારોને પોતાની વિગત મોકલી આપવા અનુરોધ

0

જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં બ્રહ્મચોયાર્સીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. દુર્ગા સેનાના ઉપક્રમે યોજાનારા આ સંમેલનને સફળ બનવાવા માટે જાેરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં આ ભવ્ય અને ગૌરવપુર્ણ કાર્યક્રમમાં પત્રકારોનું પણ સન્માન કરવામાં આવનાર છે. આ તકે આયોજકો દ્વારા ખાસ કરીને બ્રાહ્મણ સમાજનાં પત્રકાર કે જે ન્યુઝ પેપર, ડેઈલી ન્યુઝ કે પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિકસ મિડીયા સાથે સંકળાયેલા હોય તેઓએ પોતાની સર્વે વિગત પત્રકાર તરીકે કેટલા સમય થયા કામગીરી કરે છે. કયાં અખબાર સાથે જાેડાયેલા છે તેમજ કંઈ ન્યુઝ ચેનલમાં કામ કરે છે તે સંબંધીત જરૂરી તમામ વિગતો અને ફોટોગ્રાફ સાથે સંપુર્ણ બાયોડેટા દુર્ગાસેનાના પ્રદેશ કમિટીના સદસ્ય મયુરી ભટ્ટ મોબાઈલ / વોટસએપ નં.૯૬૩૮૬ર૭ર૬૬ ઉપર તાત્કાલીક મોકલી આપવા અનુરોધ કરેલ છે. બ્રહ્મ સમાજનાં પત્રકારો અંગેની માહિતી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યારબાદ કમિટી જે નકકી કરે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!