‘બેરોજગારીનો માર હવે તો સાંભળો સરકાર, ભરતી નહીં તો મત નહીં ’ : ભાજપ કાર્યાલય પાસે જ પોસ્ટરો લાગ્યા

0

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જાેવા મળી રહ્યો છે. દરેક પક્ષે મહાનગર પાલિકાઓની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા એડીચોટીનું જાેર લગાવ્યું છે. જ્યારે મતદારો પણ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને પોતાની સમસ્યાઓ અંગે ખૂલીને વાત કરી રહ્યા છે. આવતીકાલે છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે ત્યારે આવતીકાલે યોજાનાર મતદાન પહેલાં જ ભાજપમાં વધુ એક ચિંતાનો પગપેસારો થયો છે. અમદાવાદમાં સરકારી નોકરી માટેની ભરતીની રાહ જાેઈને બેઠેલા ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં ભાજપમાં વધુ ભય ફેલાયો છે. એલઆરડી અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા છે. ભાજપે મતદાન પહેલાં જ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું છે.
અમદાવાદ શહેરમાં ભાજપના કાર્યલય પાસે જ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે, બેરોજગારીનો ભાર હવે તો સાંભળો સરકાર ભરતી નહીં તો વોટ નહીં. તે ઉપરાંત એલઆરડી, એસઆરપીએફ અને જીપીએસસીના ઉમેદવારો ઉપર ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે. આ પ્રકારની માંગ શહેરમાં લાગેલા પોસ્ટરોમાં કરવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર ૩૮ જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે. ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને એએમસીમાં ૧૪૨ પૈકી ૧૦૦ થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ ૩૮ જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!