જૂનાગઢમાં બાળકીના જન્મદિવસની અનોખી ઉજવણી, રામમંદિર નિર્માણ માટે ચેક અર્પણ

0

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ઘર સંપર્ક અભિયાન સમગ્ર ભારતમાં ચાલે છે ત્યારે લોકોનો ભાવ પણ ખૂબ સારી રીતે જાેડાતો જાય છે. એવું જ એક ઉદાહરણ જુનાગઢમાં જાેશીપુરા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા વિપુલભાઈ રાવતની દીકરી કૃપા કે જેમને પાંચ વર્ષ પુરા થયા છે તે નિમિત્તે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૫,૧૦૦ નો ચેક સમિતિ ને અર્પણ કરેલ છે. આ તકે પરિવાર તરફથી સમિતિ તરફથી આવેલ મહાનગરના સંયોજક હિરેનભાઈ રૂપારેલીયા, હિસાબ પ્રમુખ માર્કંડભાઈ જાેષી, હિસાબ સમિતિના સદસ્ય રોહિતભાઈ પુરોહિતનું વિપુલભાઈ રાવતની ત્રણેય પુત્રીઓ દ્વારા કંકુ ચોખાથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ રીતે અનોખી રીતે ધાર્મિક કાર્યમાં જન્મદિવસ નિમિતે મંદિર નિર્માણ અર્થે ચેક સમર્પણ કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!