માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે શ્રી રામ જન્મ ભૂમિ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો

0

માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે શ્રી રામ જન્મ ભૂમિ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ પૂ. શેરનાથ બાપુ વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામા આવ્યું હતું. ખારવા સમાજના પટેલ, વેલજીભાઈ મસાણી તથા ખારવા સમાજનાં આગેવાનો દ્વારા ફૂલહારથી તથા પરમેશ વિદ્યાલયનાં બહેનો દ્વારા શ્રી રામ સ્તુતિથી પૂજ્ય સંતશ્રી શેરનાથ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાપુએ મા-બાપની સેવા કરવા તથા સત્કર્મ કરવા શીખ આપી આર્શીવચન આપ્યા હતાં. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખારવા સમાજ માંગરોળ તરફથી એકત્રિત કરેલ સમર્પણ નિધિ રૂા. ૨૦ લાખ જૂનાગઢ ભવનાથથી પધારેલ પરમ પૂજય વંદનીય સંતશ્રી શેરનાથ બાપુનાં ચરણોમાં અર્પણ કરેલ હતી. આ નિધિ અર્પણ કાર્યક્રમમાં ખારવા સમાજના આગેવાનો, બહેનો તથા વિશ્વ હિન્દુ પરિષદનાં આગેવાનો, આરએસએસનાં આગેવાનો, ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!