ઉનામાં શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ

0

સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સ્વરાજનાં સંસ્થાપક મહાન યોધ્ધા છત્રપતિ શિવાજી મહારાજની ૩૧૨ મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી જેમાં સમસ્ત હિન્દુ સમાજનાં આગેવાનોએ કેસરી ખેસ પહેરી કેસરી ધજા લઈ મોટર સાયકલ સાથે દેલવાડા રોડ ઉપર આવેલ શાહ એચ.ડી.હાઈસ્કુલનાં મેદાનમાં એકત્રિત થઈ જય ભવાની, જય માતાજીનાં સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને રેલી સ્વરૂપે ટાવર ચોક થઈ શીવાજી પાર્ક બાગ ખાતે પહોંચી આતશબાજી કરાઈ હતી. આ તકે જાહેરબાગના મેદાનમાં પુષ્પહાર,પુષ્પવર્ષા કરી હિન્દુ એકતા ઝીંદાબાદ, ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!