ઉજ્જૈન ખાતે શ્રી રાજપુત કરણી સેનાની મહારેલીમાં ગુજરાતનાં આગેવાનો જાેડાયા

0

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જેૈન ખાતે મહારેલી યોજાઈ હતી જેમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતને પણ આમંત્રણ આપાયું હતું. આ મહારેલીમાં ગુજરાતના શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાની આગેવાનીમાં જામકંડોરણા રાજપુત સમાજના યુવાનો અને આગેવાનોએ શ્રી રાજપૂત કરણી સેનાના ઉજ્જૈન(મધ્યપ્રદેશ) ખાતે હાજરી આપી હતી. જામકંડોરણામાંથી ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા-પીપરડી, જામકંડોરણા રાજપુત સમાજના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, યુવા આગેવાન હરપાલસિંહ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી. આ તકે ઉજ્જૈૈન ખાતે શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાનાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!