ખંભાળિયાનાં ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ મચી

0

ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા એવા જાેધપુર ગેઈટ વિસ્તારમાં ગતરાત્રીના આશરે દસેક વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી જૂની ખડપીઠવારી ખુલ્લી જગ્યામાં આવેલો વંડો કે જ્યાં સ્થાનિકો કચરો-ડૂચો નાખે છે, આ કચરામાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાને જાણ કરાતા તેમના દ્વારા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ફાયર સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ, આશરે અડધો-પોણો કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જાે કે આ કારણે કોઈ નોંધપાત્ર નુકશાની થવા પામી ન હતી. પરંતુ થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ પ્રસરી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!