છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લામાં ૧ર૦ વ્યકિતઓ ઉપર વન્યપ્રાણીઓનાં હુમલા

0

છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓએ ૧૨૦ વ્યક્તિઓ ઉપર હુમલા કર્યા બનાવો નિંધાયા છે. જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં કુલ ૧૭ લોકોના ૧૭ લોકોના મોતને ભેટીયા છે. રાજ્યના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં પાછલા બે વર્ષ દરમ્યાન વન્ય પ્રાણીઓ દ્વારા ૧૨૦ વ્યક્તિઓ ઉપર હુમલા કરાયા હોવાની વિગતો સામે આવી છે. બંને જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાથી કુલ ૧૭ લોકોના મોત નીપજ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિ મુજબ જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે પાછલા બે વર્ષ દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા ૫૧ લોકો ઉપર જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં ૬૯ વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વન્ય પ્રાણીઓના હુમલાથી કેટલાક મૃત્યુંના કિસ્સા પણ બન્યા છે. પાછલા બે વર્ષ દરમ્યાન વન્ય પ્રાણીઓના હુમલાથી જૂનાગઢ જિલ્લામાં ૧૧ જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં ૬ લોકોના મોત નીપજ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગના વર્ષ ૨૦૧૬ના ઠરાવ પ્રમાણે વન્ય પ્રાણીઓના હુમલાથી કોઈ માનવ મૃત્યુંના કિસ્સામાં મૃતકના પરિવારજનોને ૪ લાખ રૂપિયા આર્થિક સહાય ચુકવવામાં આવે છે. એટલું જ નહી વન્ય પ્રાણીઓના હુમલાથી તેમની માલિકીના પશુઓના મોત થાય તો પણ નિયમ પ્રમાણે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. વન્ય પ્રાણીઓના હુમલાથી જાે ૪૦ થી ૬૦ ટકા જેટલી અપંગતા થાય તો ૫૯,૧૦૦ રૂપિયા, જ્યારે ૬૦ ટકાથી વધુ અપંગતા આવે તો ૨ લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવે છે. એટલું જ નહી વન્ય પ્રાણીઓના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર માટે એક સપ્તાહથી ઓછા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં ૪૩૦૦ રૂપિયા નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. માણસો અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે વન વિભાગ દ્વારા કેટલાક જાગૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. એટલું જ નહીં લોકોને રાત્રે ખુલ્લામાં ન સુવાની સલાહ પણ આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!