સ્વ.નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક આયુર્વેદ સારવાર અને નિદાન કેમ્પ યોજાયો

0

જૂનાગઢનાં પીઢ અગ્રણી સ્વ.શ્રી નારસિંહભાઈ પઢીયારની તૃતિય પૂણ્યતિથિ નિમિતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત જૂનાગઢનાં માર્ગદર્શન હેઠળ આયુર્વેદ પધ્ધતિથી નિદાન અને સારવાર કેમ્પ તથા કોરોના થયા પછી થતી તકલીફોનાં નિદાન અને સારવાર કેમ્પનું  આયોજન કરવામાં આવેલ હતી. આજ તા. ૩-૭-ર૦ર૧ શનિવાર સવારે ૧૦ થી ૧ દરમ્યાન રેડક્રોસ સોસાયટી હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વાળા, અજય પિઠીયા, નુરઅલી ધેરેયાણી, હેતલ વાઘેલા, સચિન દલાલ વગેરે ડોકટરોની ટીમ સેવા આપી હતી. સર્વોદય બ્લડ બેંક દવા ટ્રસ્ટ તથા રેડક્રોસ સોસાયટીનાં સહયોગ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ સહયોગ આપ્યો હતો. તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો પણ ઉપસ્થિત રહયા હતાં. યોગેન્દ્રસિંહ પઢીયાર અને નરેન્દ્રસિંહ પઢીયાર અને જયસિંહ પઢીયાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!