ગોરક્ષનાથ આશ્રમનાં પૂ. શેરનાથ બાપુની આતિથ્ય ભાવનાની સર્વત્ર સુવાસ

0

ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં વર્તમાન ગાદીપતિ પૂ. શેરનાથ બાપુનાં સાનિધ્યમાં હાલ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન કાર્યક્રમ ચાલી રહયો છે અને ભકતજનો લાભ લઈ રહયા છે. ગિરનારી ભાગવત કથા દરમ્યાન આમંત્રીત ભાવિક ભકતો, સેવકગણ અને સંતોનું યથોચિત સન્માન સાથે તેઓની આગતા – સ્વાગતા કરવામાં આવી રહી છે જેનો રોટલો મોટો છે એવા પૂ. શેરનાથ બાપુની સેવાકીય ધામિર્ક પ્રવૃતિ તેમજ ગૌમાતાની સેવા અને જરૂરીયાત મંદોને સહાયરૂપ થવાની ભાવના, આતિથ્ય સત્કાર તેમજ પરીક્રમા, શિવરાત્રીનો મેળો તેમજ કોઈપણ ધામિર્ક કાર્યમાં સહયોગ અને અન્નક્ષેત્ર સતત ચાલી રહયું છે. આંગણે આવેલા સૌકોઈને પુરતો આદર સત્કાર માન સન્માન સચવાય તે રીતે તેઓનું આતિથ્ય ભાવના વ્યકત કરવામાં આવી રહી છે. અને આ આશ્રમની ખ્યાતી દુર દુર સુધી ફેલાયેલી છે. પૂ. શેરનાથ બાપુમાં સેવકગણ અને ભાવિક ભકતો સિધ્ધ યોગીનાં દર્શન કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!