આજે જૂનાગઢનાં મુકિતદિનનાં પર્વ પ્રસંગે આરઝી હકુમતનાં સેનાનીને શ્રધ્ધાંજલી : આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચાનાં માર્ગની જૂનાગઢમાં થયેલ નામકરણવિધિ

0

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને દેશનાં અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની આઝાદીની લોકક્રાંતિ અને ચળવળોમાં મહત્વનું યોગદાન તેમજ જૂનાગઢ આરઝી હકુમતમાં પણ ખુબ જ મહત્વની જવાબદારી અદા કરી અને જૂનાગઢને આઝાદી અપાવવામાં યોગદાન આપનારા વિર આરઝી હકુમત સૈનિકોની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે આજે જૂનાગઢ શહેરમાં ૯મી નવેમ્બરનાં આઝાદ દિન પર્વ પ્રસંગે આગાખાન હોસ્ટલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને આરઝી હકુમતનાં સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગની નામકરણવિધિનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ તેમનાં મુકિતદિન પ્રસંગે તેમજ આરઝી હકુમતનાં નામી-અનામી સેનાનીઓને શ્રધ્ધાંજલી આપવા માટેનો એક કાર્યક્રમ આજે સવારે બહાઉદીન કોલેજ ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. જયારે બીજાે કાર્યક્રમ આગાખાન હોસ્ટલથી મનોરંજન સર્કીટ હાઉસ માર્ગને જૂનાગઢ મનપા દ્વારા આરઝી હકુમતનાં સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ એવું નામ આપવામાં આવેલ તેની નામકરણવિધિ કરવામાં આવેલ હતી. જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તેમજ મનપાનાં પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ મેયર આદ્યશકિતબેન મજમુદાર, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન સંજયભાઈ કોરડીયા, મોહનભાઈ પરમાર, મનપાનાં કમિશ્નર રાજેશ તન્ના, પલવીબેન ઠાકર તેમજ પદાધિકારીઓ, કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમજ સબ એડીટર જગડુશા નાગ્રેચા વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનાં હસ્તે આરઝી હકુમતનાં સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા નામની નામકરણવિધિ કરવામાં આવી હતી. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલે આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાની દેશની આઝાદીની ચળવળમાં યોગદાન તેમજ આરઝી હકુમતમાં કરેલી કામગીરી અંગેની વિગતો આપી હતી. અને ઉપસ્થિત સૌએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે આરઝી હકુમતનાં સેનાની અને ગુપ્તચર કમાન્ડર સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષમીબેન નાગ્રેચાનાં દેશની સેવા માટેનાં યોગદાન અંગેનાં અહેવાલો તેમજ આરઝી હકુમતનાં વિર સેનાનીઓની યશોગાથા અવાર નવાર આ અખબારે પ્રગટ કરી છે. તેમજ જૂનાગઢ મનપામાં પણ આરઝી હકુમતનાં સેનાની માટેની કાયમી સ્મૃતિ રહે તે માટે દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સનાં પૂર્વ અગ્રણી જયેન્દ્રભાઈ જાેબનપુત્રા તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ પણ કોર્પોરેશનમાં દરખાસ્ત મુકવામાં આવી હતી તે સૌનો પણ આભાર આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોનાં અગ્રણી તેમજ આગેવાનોએ પણ દરખાસ્ત મોકલી હતી. અને આજે જયારે આ પ્રસંગ ઉજવાયો છે ત્યારે સૌને ધન્યવાદ પાઠવવામાં આવે છે. આજે જયારે જૂનાગઢ શહેરનાં એક માર્ગને આરઝી હકુમતનાં સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા એવું નામ આપવામાં આવેલ છે તે ગૌરવની બાબત છે. આ કામગીરી કરવામાં જૂનાગઢ મનપાનાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કોર્પોરેટરો તેમજ જે કોઈએ જાણે-અજાણે સહયોગ આપેલ છે તે તમામ અભિનંદનનાં અધીકારી છે. દરમ્યાન આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી અને નાગ્રેચા પરીવારનાં આપ્તજન વડીલ અને મોભી એવા શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયએ આ તકે મેયરશ્રી સહીત કોર્પોરેશનનાં સૌ અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે નાગ્રેચા પરીવાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર સાથે વર્ષોથી જાેડાયેલ છે. અને અમારા એક પરીવારનાં સભ્ય તરીકે જયારે આ જ પરીવારનાં સ્વાતંત્ર્ય સેનાનીનાં નામ ઉપરથી જયારે નામકરણવિધિ જૂનાગઢમાં કરવામાં આવી છે એ અમારા સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર અને નાગ્રેચા પરીવાર માટે ગૌરવની વાત છે. આ તકે ફરી એકવાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!